Search Suggest

એલ.ટી.સી. (LTC) 2021 પ્રવાસ રાહત પેકેજ બાબતે સામાન્ય સુચનાઓ

એલ.ટી.સી. (LTC) 2021 પ્રવાસ રાહત પેકેજ બાબતે સામાન્ય સુચનાઓ


એલ.ટી.સી. પ્રવાસ રાહત પેકેજ બાબતે સામાન્ય સુચનાઓ 

ગુજરાત સરકારશ્રીની રજા પ્રવાસ યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા માટે ગુજરાત સરકારશ્રીના નાણા વિભાગના ઠરાવ નં . મસભ - ૧૦૨૦૧૩-૧૪૨૯૬૯ત્ર , સચિવાલય ગાંધીનગર , તા : ૨૨/૧૨/૨૦૨૦ મુજબ 

  • જે કર્મચારીએ એલ.ટી.સી. બ્લોક - ૨૦૧૬-૧૯ ભોગવી લીધેલ છે તેમને આ લાભ મળવાપાત્ર નથી . 
  • ખરીદી બિલ ૨૨-૧૨-૨૦૨૧ થી ૩૧-૦૩-૨૦૨૧ સુધીનું જ હોવું જોઇએ . 
  • જે કર્મચારીએ એલ.ટી.સી. રાહત પેકેજનો લાભ લેવાનો છે તેના નામે જ બિલ હોવુ જોઇએ . 
  • જી.એસ.ટી. રજીસ્ટર્ડ વેપારીનું બિલ ૧૨ % કે તેથી વધુ જી.એસ.ટી. કપાત થયેલું વેપારીનું હોવું જોઇએ . 
  • કચેરીમાં બિલો કુલ - 2 નકલમાં રજુ કરવા . જેમાં ખરીદ કરેલ વસ્તુના અસલ બિલો જ મોકલવા . આથી અસલ બિલો મંગાવી વેરીફાઈ કરવાનો પ્રશ્ન રહે નહી . 
  • ખરીદ કરેલ વસ્તુ માટે કપાત થયેલ જી.એસ.ટી.ની રકમ દુકાનદારે ચલણથી સરકારશ્રીમાં જમા કરાવેલ હોવી જોઇએ . જેના ચલણની નકલ બિલ સાથે ફરજિયાત જોડવાની છે . જરૂર લાગે તો અસલ ચલણ વેરીફાઈ માટે રજુ કરવાનું રહેશે , ચલણમાં જી.એસ.ટી. નંબર , તારીખ , રકમ દર્શાવેલ હોવી જોઈએ . 
  • તા : ૨૨/૧૨/૨૦૨૦ પહેલા નિવૃત થયેલ કર્મચારીને આ લાભ મળવા પાત્ર નથી . 
  • તા : ૨૨/૧૨/૨૦૨૦ પછી જન્મ તારીખના મહિનાના છેલ્લા દિવસને ધ્યાને લેતા તા : ૩૧/૦૩/૨૦૨૧ ના રોજ કે તે અગાઉના મહિને નિવૃત થતા હોય તો લાભ મળવાપાત્ર થશે . પરંતુ નિવૃત થાય તે તારીખ પહેલા બિલ કે.વ.આચાર્યશ્રી ના કોડીંગ સાથે કચેરીમાં રજુ કરવાનું રહેશે . 
  • ડીજીટલ માધ્યમથી જ ખરીદી કરવાની રહેશે . જે માટે બેંક પાસ બૂક અથવા બેન્ક સ્ટેટમેન્ટ ખાસ રજુ કરવાનું રહેશે . 
  • એલ.ટી.સી. રાહત પેકેજનો લાભ લેવા માંગતા / મળવા પાત્ર કર્મચારીની અરજી અત્રેથી તૈયાર કરેલ સાદી અરજી આપવાની રહેશે . અરજી સાથે જોડવાના આધારો સાથેનો નમુનો નીચે જોડેલ છે . 
  • લાભ લેવા માંગતા શિક્ષકોની અરજી કે.વ. આચાર્યશ્રીએ એક સાથે ભેગી કરી દિવસ - માં આપવી . 
  • અરજી અને જોડેલ આધારો સાથે કચેરીમાંથી મંજુરી આદેશ તૈયાર કરવામાં આવશે . જે કર્મચારીને આપવામાં આવશે . 
  • દરેક કર્મચારીએ બિલ તૈયાર કરી કે.વ. આચાર્યશ્રી મારફત જ મોકવાનું રહેશે . કે.વ. આચાર્યશ્રીએ દરેક કર્મચારી વાઈઝ જાવક નંબર , તારીખ સાથેનું ફોર્વર્ડીંગ અલગ - અલગ કરીને જ કચેરીમાં રજુ કરવાનું રહેશે . 
  • એલ.ટી.સી. રાહત પેકેજની રકમ આવકવેરામાં ગણવાની નથી . જેમાથી રાહત આપેલ છે , 
  • એલ.ટી.સી રાહત પેકેજમાં મુસાફરી કરવાની નથી . માત્ર જાણ સારુ . 
  • ખરીદી માટે એક થી વધુ બિલો ચાલશે , પરંતુ દરેકમાં 12 % જી.એસ.ટી. કપાત હોવી જોઈએ. બને ત્યા સુધી ખુબ ઓછા બિલ જ રાખવા અનુકૂળ રહેશે, બને ત્યાં સુધી એ બિલ જ રાખવું .
  • ૧૨ % જી.એસ.ટી. કપાત થતી હોય તેવી કોઈપણ વસ્તુ ખરીદી શકાશે . 
  • ૧૨ % જી.એસ.ટી. કપાત વાળી દર્શાવેલ સમયગાળાની વિમા પોલીસી ભરી શકાશે . 
  • કર્મચારીની સેવાપોથીમાં ૧૦ કે તેથી ઓછી જમા રહેલ પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતરની રકમ ગણતરીમાં લેવાની રહેશે . જેટલા દિવસની રજા રોકડમાં રૂપાંતરની રકમ થાય તે રકમ જેટલી કે તેનાથી વધુની ખરીદી થયેલ હોવી જોઈએ . 
  • જેટલી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર થાય તેટલી રજા કર્મચારીની સેવાપોથીમાથી કે.વ. આચાર્યશ્રીએ ઉધારવાની રહેશે . 
  • સૂચિત ભાડુ રૂ . ૬૦૦૦ / - એક ટીકીટના ધ્યાને લેવાના રહેશે . વધુમાં વધુ ચાર ટીકીટ મુજબ ( પતિ - પત્નિ , બે બાળકો સૂચિત ભાટી રકમના ત્રણ ગણા + રજા પગાર બન્નેના સરવાળા જેટલો ખર્ચ થવો જોઈએ . 
  • ઠરાવના મુદ્દા નં . ૧૩ મુજબ આ પેકેજનો લાભ લેવા માટે ફરજિયાત રજાનું રોકડમાં રૂપાંતર અને એલ.ટી.સી. ભાડુ બન્નેનો લાભ લેવાનો રહેશે તો જ આ પકે જ નો લાભ મળવાપાત્ર થશે . 
  • દરેક કે.વ. આચાર્યશ્રીએ આ પેકેજનો લાભ લેવા માંગતા શિક્ષકોની અરજી આખા કે.વ.ની એકંદર કરી એક સાથે તા . ૨૨/૦૧/૨૦૨૧ સુધીમાં રજુ કરવી . અરજી સાથે જોડવાના આધારો અરજીમાં નીચે દર્શાવવા . 
  • પતિ પત્નિ બન્ને નોકરીમાં હોય તો એક ને જ પેકે જ નો લાભ મળશે . રજા પગાર જો પ્રાપ્ત રજા જમા હોય તો બન્નેને માત્ર રિજા પગાર મળે . 
  • રજા રોકડમાં રૂપાંતરનો લાભ લેવા માટે સેવાપોથીમાં પ્રાપ્ત રજા જમાં હોવી જોઈએ . પ્રાપ્ત રજા જમા છે તે માતલબનું કે.વ.આચાર્યશ્રીનું પ્રમાણપત્ર અને જમા રહેલ સેવાપોથીના પાનાની નકલ રજુ કરવાની રહેશે . જરૂર પડે તો જમા રહેલ પ્રાપ્ત રજાના વેરીફાઈ માટે સેવાપોથી માંગવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે . 
  • તા .૧ / ૪ / ૧૯૮૯ પછી નોકરીમાં દાખલ થયેલ હોય અને બે થી વધુ જીવીત સંતાન હોય તો તો તેમને એલ.ટી.સી. લાભ મળવાપાત્ર નથી . 
  • તા . ૩૧/૧૨/૨૦૧૮ પહેલા પૂર્ણ વેતનમાં આવેલ હોવા જોઈએ . 
  • એલ.ટી.સી.નો લાભ ૪ ટીકીટ ( પતિ , પત્નિ , બે બાળકો ) સુધી મળવાપાત્ર છે . કુટુંબની વ્યાખ્યામાં આવતા હોવા જોઈએ . તથા પૂર્ણ પોતાને આશ્રિત હોવા જોઈએ . રેશનકાર્ડની નકલ ફરજિયાત છે . 
  • ૧૦ દિવસ અથવા તેથી ઓછી જમા રહેલ પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર મળશે . જે પ્રાપ્ત રજા સેવાપોથીમાં જમા હોવી જોઈએ . 
  • પેકેજનો લાભ લીધા બાદ સેવાપોથી માથી રજા બાદ કરવામાં આવશે . રજાનું રોકડમાં રૂપાંતર માટે હાલમાં મેળવતા છઠ્ઠા પગારપંચ મુજબનો મૂળ પગાર ( બૅઝીક + ગ્રેડ પે ) + મૂળ પગારની ૧૬૪ % મોંઘવારી ધ્યાને લેવાની રહેશે . 
પેકેજનો સંપૂર્ણ લાભ લેવા માટે 
  1. ૧ ટીકીટ હોય તો ૧૮૦૦૦ નો ખર્ચ ૧૦ દિવસ પગાર બન્નેના સરવાળા મુજબનો ખર્ચ ) 
  2. ૨ ટીકીટ હોય તો ૩૬૦૦૦ નો ખર્ચ ૧૦ દિવસ પગાર , ( બન્નેના સરવાળા મુજબનો ખર્ચ ) 
  3. ૩ ટીકીટ હોય તો ૫૪૨૦૦ નો ખર્ચ દિવસ પગાર ( બન્નેના સરવાળા મુજબનો ખર્ચ ) 
  4. ૪ ટીકીટ હોય તો ૭૨૦૦૦ નો ખર્ચ ૧૦ દિવસ પગાર ( બન્નેના સરવાળા મુજબનો ખર્ચ ) 
  • મળવાપાત્ર બિલની ગણતરી ઠરાવમાં દર્શાવ્યા મુજબની રહેશે . જે મુજબ બિલ તૈયાર કરવાનું રહેશે .
બિલ સાથે જોડવાના આધારો : 
  1. ફોર્મ નં .૫૭
  2. જી.એસ.ટી. નંબર વાળુ પાકુ બિલ અસલમાં
  3. ડિઝીટલ ખરીદી કર્યાના આધારો . 
  4. બેન્ક પાસ બૂક , બેન્ક સ્ટેટમેન્ટ 
  5. એલ.ટી.સી. મંજુરી આદેશ
  6. રેશનકાર્ડની નકલ 
  7. કર્મચારીની અરજ
રજા પગાર બિલ સાથે જોડવાના આધારો :
  1. રજા પગાર બિલ
  2. રજા પગારનો હુકમ
  3. ખરીદ કર્યાના બિલની નકલ 
  4. એલ.ટી.સી. મંજુરી આદેશ 
  5. રેશનકાર્ડની નકલ 
  6. કર્મચારીની અરજી

Title of the document

LTC Pravas Rahat Pacage All Details