ધોરણ -૫, ૮ ની કોમન પ્રવેશ પરીક્ષા - ૨૦૨૪ જાહેરનામું
વર્ષ ૨૦૨૪ ના શૈક્ષણિક સત્રથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ...
- જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSRS )
- જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSTRS )
- જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ ( GSDS )અને
- રક્ષાશક્તિ સ્કુલ્સ ( RSS )
- મોડેલ સ્કૂલ
શરૂ થનાર છે, આપ જાણો છો તેમ મોડલ સ્કુલ્સમાં પણ ઘણા સમયથી પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે . આમ કુલ ૦૫ ( પાંચ ) પ્રકારની યોજનાઓની શાળામાં ધોરણ -૬ માં પ્રવેશ માટે અત્રેની કચેરીના સંદર્ભના જાહેરનામાંથી એક કોમન પ્રવેશ પરીક્ષા યોજવા માટે જાહેરનામું બહાર પાડેલ છે .
ખૂબ અગત્યની જાહેરાત
નિયામક શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બીજો માળ, સેકટર-૧૯,ગાંધીનગર,ગુજરાત રાજ્ય
સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સેકટર-૧૭, ગાંધીનગર, ગુજરાત રાજ્ય
જ્ઞાનશક્તિ રેસીડેન્સીઅલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીઅલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ સ્કૂલ્સ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓ દ્વારા યોજનાની ઓનલાઈન પસંદગી કરવા માટેની જાહેરાત
sd/- નિયામક શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય, ગાંધીનગર
sd- સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
શાળા પસંદગી માટેનો વિડીયો જુઓ
👇👇👇
- આ પરીક્ષા નિ:શુલ્ક છે .
- ઉક્ત શાળાઓ ધોરણ -૦૬ થી ૧૨ સુધીની હોય છે .
- આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે .
- વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું , રેસીડેન્સિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય , રમત - ગમત , કલા અને કૌશલ્ય તાલીમ , શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધત્તિઓ અને ઉચ્ચ અદ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે .
- પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે .
- અત્રેની કચેરીના સંદર્ભના જાહેરનામાં દર્શાવેલ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ સદરહું પરીક્ષાના ફોર્મ વધુમાં વધુ ભરી શકે તે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , મદદનીશ શાસનાધિકારીશ્રી BRC કો.ઓડિનેટરશ્રી , CRC કો.ઓર્ડિનેટરશ્રી , આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓને આપની કક્ષાએથી સુચના આપવા વિનંતી છે .
- તેમજ શાળાના આચાર્યશ્રીઓએ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદરૂપ થાય તથા BRC કો.ઓડિનેટરશ્રીઓ અને CRC કો.ઓર્ડિનેટરશ્રીઓએ પણ શાળાઓમાં વધુને વધુ આવેદનપત્રો ભરાય તે માટે માર્ગદર્શિત કરે તેવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે .
અગત્યની લિંક્સ

